બાગેશ્વર ધામમાં સન્યાસી બાબા ખરેખર કોણ છે ? જાણો ગુજરાતમાં કઈ જગ્યાએ તેઓ આવવાના છે | Bageshwar Dham Baba

બાગેશ્વર ધામમાં સન્યાસી બાબા કોણ છે?

બાગેશ્વર ધામ સાથે સંકળાયેલા લોકોના મત અનુસાર સન્યાસી બાબા દાદા ગુરૂજી મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પરદાદા હતા. કહેવાય છે કે, તેમણે 300 વર્ષ પહેલા બાગેશ્વર ધામ બાલાજીનું મંદિર બનાવ્યું હતું. આસપાસના વિસ્તારોમાં તેની વિશેષ ઓળખ હતી અને તેઑ સમસ્યાઓનું નિદાન પણ કરતા હતા.

કેવી રીતે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર બાબા બન્યા?

એક દિવસ બાલાજી મહારાજની આજ્ઞા અને કૃપાથી તેમને તેમના દાદા શ્રી 1008 દાદા ગુરુજી મહારાજનો સંગાથ મળ્યો અને દાદા ગુરુના આશીર્વાદ અને આજ્ઞાથી ધીરેન્દ્ર શાસ્ત્રી બાલાજી મહારાજની સેવામાં લાગી ગયા. સન્યાસી બાબા અને આ ધામનો મહિમા આખી દુનિયામાં ફેલાવ્યો.

ધીરેન્દ્ર શાસ્ત્રીનો પરિચય

4 જુલાઈ, 1996 ના રોજ, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગાડા ગામમાં સરયુપરિયા બ્રાહ્મણ પરિવારમાં પિતા શ્રી રામકૃપાલજી મહારાજ અને ભક્ત માતા સરોજના ઘરે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ થયો હતો. બાળપણ ગરીબી અને દુઃખમાં વિત્યું હતું. તેમનો પરિવાર કર્મકાંડ બ્રાહ્મણોનો પરિવાર હતો, જે પૂજા પાઠમાં મળેલી દક્ષિણા સાથે 5 લોકોનો પરિવાર ચાલતો હતો.




શાસ્ત્રી બાગેશ્વર બાબા હાલ ગુજરાતમાં આવ્યા છે. 26 અને 27 મે ના રોજ તેઓ સુરતમાં તેનો દિવ્ય દરબાર ભરવાના છે. 29 અને 30 મી મે ના રોજ તેઓ અમદાવાદમાં તેનો દરબાર ભરશે અને લાખોની સંખ્યામાં લોકો તેમને સાંભળવા આવશે. તેમજ 1 ને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબાર ભરાવાનો છે. દરેક લોકો ત્યાં જઈ શકે છે. વધુમાં વધુ લોકો આ દરબાર નો લાભ લેવા વિનંતી.

Post a Comment

0 Comments